५.०
२ परीक्षण
ई-पुस्तक
152
पेज
रेटिंग आणि परीक्षणे यांची पडताळणी केलेली नाही  अधिक जाणून घ्या

या ई-पुस्तकाविषयी

ચિત્તને ચોંટવાનો સ્વભાવ, શૂરવીરપણું, ભય અને વૈરાગ્ય આ ચાર ઉપાયે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે એમ ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના ૩૬મા વચનામૃતમાં કહ્યું છે.


સદ્‌ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીના જીવનમાં ચિત્તનો ચોંટવાનો સ્વભાવ અખંડ વૃત્તિ રાખવામાં મુખ્ય રહ્યો હોય તેમ દેખાય છે. પ્રેમાનંદ સ્વામીના ચિત્તને ચોંટવાનું યોગ્ય પાત્ર શ્રીજી મહારાજ મળી ગયા, પરિણામે રાતદિન તેમની રટના લાગી રહી.


શ્રીજી મહારાજ અને સંતો સંગાથે સદ્‌ગુરુ પ્રેમાનંદ સ્વામી અતિ ગરીબ અને ગરજવાન થઇને રહ્યા છે. મોટેરાઓનો રાજીપો પણ એવા પાત્ર મુમુક્ષુ ઉપર સહેજે રહેતો હોય છે.


પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના અને પુરુષાર્થથી પ્રભુ એમના હૃદયરૂપી પીંજરામાં પુરાયા એ આ વંદુના પદોમાંથી જણાય આવે છે. સંવત્‌ ૧૮૮૦ના મહા વદિ ચૌદશે પ્રેમાનંદ સ્વામીએ મહારાજની આગળ આ "વંદુ" ના ૮ પદો ગાયા ત્યારે મહારાજનો જે અંતરનો રાજીપો ઉઠેલો એમાં પ્રેમાનંદ સ્વામીની પ્રભુ પ્રત્યેની અતિ ઉત્કૃષ્ટ ભક્તિના દર્શન થાય છે. તે ભાવભક્તિને પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજીએ સુરત ગુરુકુલમાં થતી "સહજાનંદી" સભામાં વિશેષ પણે સમજાવેલ.


આ વંદુ સહજાનંદ પુસ્તકને શબ્દદેહ આપી અ.નિ. પૂ. શ્રી જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં જૂનાગઢમાં યોજાયેલ સર્વમંગલ મહોત્સવ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા પ્રકાશન કરવામાં આવેલ.


આશા રાખીએ આ પુસ્તકના વાચન દ્વારા આપણા જીવનમાં પણ પ્રેમાનંદ સ્વામીના જેવી મહારાજના સ્વરૂપમાં ભક્તિ અને ચિંતવન દિન દિન પ્રત્યે વધતું રહે તેવી અપેક્ષા સહ....

रेटिंग आणि पुनरावलोकने

५.०
२ परीक्षणे

या ई-पुस्तकला रेटिंग द्या

तुम्हाला काय वाटते ते आम्हाला सांगा.

वाचन माहिती

स्मार्टफोन आणि टॅबलेट
Android आणि iPad/iPhone साठी Google Play बुक अ‍ॅप इंस्‍टॉल करा. हे तुमच्‍या खात्‍याने आपोआप सिंक होते आणि तुम्‍ही जेथे कुठे असाल तेथून तुम्‍हाला ऑनलाइन किंवा ऑफलाइन वाचण्‍याची अनुमती देते.
लॅपटॉप आणि कॉंप्युटर
तुम्ही तुमच्या काँप्युटरचा वेब ब्राउझर वापरून Google Play वर खरेदी केलेली ऑडिओबुक ऐकू शकता.
ईवाचक आणि इतर डिव्हाइसेस
Kobo eReaders सारख्या ई-इंक डिव्‍हाइसवर वाचण्‍यासाठी, तुम्ही एखादी फाइल डाउनलोड करून ती तुमच्‍या डिव्‍हाइसवर ट्रान्सफर करणे आवश्यक आहे. सपोर्ट असलेल्या eReaders वर फाइल ट्रान्सफर करण्यासाठी, मदत केंद्र मधील तपशीलवार सूचना फॉलो करा.