Vachanamrut Chintan: Vachanamrut Vivechan

2,0
Отзывы: 2
Электронная книга
1127
Количество страниц
Оценки и отзывы не проверены. Подробнее…

Об электронной книге

આ વચનામૃત ગ્રંથ ધર્મ, અર્થ, કામ અને મોક્ષાદિ સર્વે અર્થોને સિદ્ધ કરાવનાર, શંકા–કુશંકા અને કુતર્કોનો સમૂલ નાશ કરનાર અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા ભગવાનના માહાત્મયરૂપી રત્નોની ખાણ સમાન છે. આ ગ્રંથમાં સત્શાસ્ત્રોને માન્ય એવો સ્વાનુભવ શ્રીહરિએ કહ્યો છે. માટે પ્રતિદિન આનું સેવન કરનાર મનુષ્ય પૂર્ણકામ થાય છે.

–શ્રી શતાનંદ સ્વામી


સર્વ ગ્રંથશિરોમણિ આ હરિવાકયસુધાસિંધુ સર્વ સત્શાસ્ત્રોમાં સર્વપ્રકારે ઉત્કૃષ્ટ સ્થાને શોભે છે.

–આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ


આ ગ્રંથનું નામ વચનામૃત છે. વચનામૃત એટલે વચનરૂપી અમૃત. અમૃત એટલે મરે નહિ તે. અમૃત એટલે પોતે મરે નહિ અને તેનું સેવન કરનારાને પણ મરવા ન દે. અમૃત એટલે મૃત્યુ પામેલાને પણ સજીવન કરે. આમ સાચા અર્થમાં વચનામૃતો અમૃત સમાન છે. આ વચનામૃત કાળથી પર છે. જેને કાળ બાધ કરી ન શકે તેને અમૃત કહેવાય. આ રીતે આ વચનામૃતને પણ કાળ બાધ કરી શકે તેમ નથી. તે કાળ અબાધિત છે. સ્વયં શ્રીજી મહારાજે જ કહ્યું છે કે .....આ વાર્તા તો એવી જીવનદાર છે કે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. વચ.ગ.મ.૧૩. ....અને આ સમયમાં સત્સંગમાં જેવી વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક ને ભવ બ્રહ્માદિક દેવતા સાંભળે તો એેમ કહે જે આવી વાર્તા તો કોઈ કાળે સાંભળી નથી અને સાંભળશું પણ નહિ. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતિ એવી છે. વચ.ગ.મ.–૯. આવી સનાતન આ વાણી છે. મૃત્યુ પછી પણ આ વસ્તુનું જ આલોચન કરવાનું છે. માટે તે અમૃત સ્વરૂપા છે.


વળી તેનું જે સેવન કરે છે તે પણ અમર બની જાય છે. તે વચનામૃતમાં જ કહ્યું છે કે .....આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે ? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દ માત્ર છે તે સર્વનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે અને સારનું પણ સાર છે અને પૂર્વે જે જે મોક્ષ પામી ગયા છે અને હવે જે જે પામશે અને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વને આ વાર્તા છે તે જીવનદોરી રૂપ છે. વચ.ગ.મ. ર૮.


તેમજ તેનું સેવન કરવાથી મૃત્યુ પામેલો પણ સજીવન થાય તેવું આ અમૃત છે. એ પણ કહ્યું છે કે .....ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જે આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. તે પુરુષ વિષયના સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. વચ.કા.૧ર. આમ જગતનું અને જન્મ મરણનું ઝેર ઉતારનારી આ વાણી છે.


વેદો જેમ સનાતન છે અને અપૌરૂષેય છે તેમ આ વાણી પણ વેદ તુલ્ય છે અને અપૌરૂષેય છે. વેદો જેમ પરમાત્માની ઉપાસનાની મીમાંસા કરનારા છે તેમ આ વાણી પણ પરમાત્માની મીમાંસા કરનારી છે. તેથી આ વાણીનું મહત્ત્વ વેદ તુલ્ય છે. એટલું જ નહિ આપણે માટે તો વેદો કરતાં પણ અધિક છે, કારણ કે વેદોમાં આપણી દૃષ્ટિ પહોંચે તેમ નથી. જયારે પ્રાકૃત ભાષામાં હોવાથી આપણે માટે આ ગ્રંથ સરળ છે.


દરેક વચનામૃતના પ્રારંભમાં પ્રથમ અનુચ્છેદ કે ફકરામાં શ્રીજી મહારાજ, સમય અને સ્થાનનું તથા આગળ બેઠેલા ભક્ત સમુદાયનું વર્ણન કરેલું છે. તે ખરેખર હેતુપૂર્વક કરેલું છે. એ વર્ણન સાંભળનારાને દેશ, કાળ અને સમાજથી પર થઈને વર્ણન કરેલા દેશ, કાળમાં જવા માટે કરેલું છે. તેથી જયારે વચનામૃત વંચાય ત્યારે આપણે અત્યારના દેશ, કાળ, વ્યકિતઓને ભૂલીને મહારાજની સમીપે તે સમયમાં અને દેશમાં ભાવનાત્મક રીતે જવાનું હોય છે અને શ્રીજી મહારાજની સામે બેસીને દેશકાળનું અંતર મિટાવવાનું હોય છે.


આ વર્ણનનો બીજો હેતુ એવો પણ લઈ શકાય કે જુદા જુદા વચનામૃતોમાં કોઈ સ્થાને પરસ્પર વિરોધાભાસ જેવું દેખાતું હોય તો તેનું પણ આગળના ફકરાનું અનુસંધાન કરવામાં આવે તો સમાધાન થઈ જતું હોય છે. દા.ત. વચ.ગ.મ.૬રમાં રઘુવીરજી મહારાજે પૂછયું છે જીવનો મોક્ષ કેમ થાય ? અને બીજા વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો. બન્નેનો જવાબ અલગ અલગ છે. કારણ કે સાંભળનારા શ્રોતાઓની ભૂમિકાને અનુસારે ઉત્તરો ઘણી વખત કર્યા હોય છે.

Оценки и отзывы

2,0
2 отзыва

Оцените электронную книгу

Поделитесь с нами своим мнением.

Где читать книги

Смартфоны и планшеты
Установите приложение Google Play Книги для Android или iPad/iPhone. Оно синхронизируется с вашим аккаунтом автоматически, и вы сможете читать любимые книги онлайн и офлайн где угодно.
Ноутбуки и настольные компьютеры
Слушайте аудиокниги из Google Play в веб-браузере на компьютере.
Устройства для чтения книг
Чтобы открыть книгу на таком устройстве для чтения, как Kobo, скачайте файл и добавьте его на устройство. Подробные инструкции можно найти в Справочном центре.