Updeshamrut: Gunatitanand Swamini Vato

·
Rajkot Gurukul
மின்புத்தகம்
300
பக்கங்கள்
ரேட்டிங்குகளும் கருத்துகளும் சரிபார்க்கப்படுவதில்லை மேலும் அறிக

இந்த மின்புத்தகத்தைப் பற்றி

પૃથ્વીપરના જીવોનું આ કળિકાળમાં આત્યંતિક કલ્યાણ શક્ય અને સુલભ બને એવા હેતુથી કરુણાનિધાન પરમકૃપાળુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાયની કલ્યાણમય પ્રણાલિકા દૃઢપણે દીર્ધકાળ સુધી ટકી રહે અને તેનો આશ્રય કરનારા અનેક જીવોનું કલ્યાણ થાય એવા ઉમદા હેતુથી અક્ષરસ્વરૂપ સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી માન્ય સિદ્ધાંતો ઉપર ભાર દઈ બળવાન ભાષામાં સદુપદેશ આપ્યો છે.


સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશમાં સત્સંગની નિષ્કામ સેવાવૃત્તિને જીવંત રાખી, સંસારની વાસનાને નિર્મૂળ કરી નાખવાની શક્તિ પડી છે. તેમના ઉપદેશમાં જીવોને શ્રીહરિમાં જોડી દેવાનું તાન દેખાય છે અને આ હેતુથી તેમણે આજ્ઞા અને ઉપાસનારૂપ સત્સંગનાં બે પ્રધાન તત્ત્વોને ભારે મહત્ત્વ આપ્યું છે. આ બંને તત્ત્વોની સિદ્ધિ માટે સત્પુરુષો અને સત્‌શાસ્ત્રોનો સંગ, આત્મવિચાર અને પરમાત્મનિષ્ઠાનું પ્રતિપાદન સ્વામીએ સચોટ દૃષ્ટાંતો દ્વારા કર્યું છે.


રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલને એક હરિભક્ત તરફથી મળેલ સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની આ વાતો-સદુપદેશને સંસ્થા દ્વારા ગ્રાહ્ય અને યોગ્ય સ્વરૂપમાં ‘ઉપદેશામૃત’ નામે સંપાદિત કરવામાં સાધુ શ્રી પ્રભુચરણદાસજીએ ભારે જહેમત ઉઠાવેલ. આ પ્રકાશનની પ્રથમ આવૃત્તિમાં ધનુર્માસમાં કથા શ્રવણ કરતા શ્રોત્રાગણોએ આર્થિક સહયોગ આપ્યો હતો.

இந்த மின்புத்தகத்தை மதிப்பிடுங்கள்

உங்கள் கருத்தைப் பகிரவும்.

படிப்பது குறித்த தகவல்

ஸ்மார்ட்ஃபோன்கள் மற்றும் டேப்லெட்கள்
Android மற்றும் iPad/iPhoneக்கான Google Play புக்ஸ் ஆப்ஸை நிறுவும். இது தானாகவே உங்கள் கணக்குடன் ஒத்திசைக்கும் மற்றும் எங்கிருந்தாலும் ஆன்லைனில் அல்லது ஆஃப்லைனில் படிக்க அனுமதிக்கும்.
லேப்டாப்கள் மற்றும் கம்ப்யூட்டர்கள்
Google Playயில் வாங்கிய ஆடியோ புத்தகங்களை உங்கள் கம்ப்யூட்டரின் வலை உலாவியில் கேட்கலாம்.
மின்வாசிப்பு சாதனங்கள் மற்றும் பிற சாதனங்கள்
Kobo இ-ரீடர்கள் போன்ற இ-இங்க் சாதனங்களில் படிக்க, ஃபைலைப் பதிவிறக்கி உங்கள் சாதனத்திற்கு மாற்றவும். ஆதரிக்கப்படும் இ-ரீடர்களுக்கு ஃபைல்களை மாற்ற, உதவி மையத்தின் விரிவான வழிமுறைகளைப் பின்பற்றவும்.