Jivan Jyot: Life flame

1 1 ବହି · Rajkot Gurukul
3.0
2ଟି ସମୀକ୍ଷା
ଇବୁକ୍
129
ପୃଷ୍ଠାଗୁଡ଼ିକ
ରେଟିଂ ଓ ସମୀକ୍ଷାଗୁଡ଼ିକୁ ଯାଞ୍ଚ କରାଯାଇନାହିଁ  ଅଧିକ ଜାଣନ୍ତୁ

ଏହି ଇବୁକ୍ ବିଷୟରେ

આજે માનવી શાંતિ ઝંખી રહ્યો છે. તેને મેળવવા તે રઘવાયો બન્યો છે. તેને એમ છે કે ધનનો ભંડાર સુખ આપશે, વૈભવ-વિલાસમાંથી સુખ સાંપડશે. કીર્તિ અને સત્તામાંથી આનંદ મળી જશે. સ્વજનો શાંતિ આપશે... પરંતુ તેમાંથી સુખ તો નથી મળતું ઊલટું દુઃખ વધે છે. શા માટે ? કારણકે તેમના પ્રયાસો ખોટાં સ્થાનોમાં છે. સુખ-શાંતિ કાંઈ સત્તા, સંપત્તિ કે કીર્તિ જેવાં બાહ્ય ઉપકરણોમાં નથી, સુખ-શાંતિ તો માણસના અંતરના અભિગમમાં રહ્યાં છે. જીવનનો અભિગમ સુલેહકારી, સંતોષી, સ્નેહભર્યો, જતું કરવાની ભાવનાવાળો, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાથી ભરેલો હશે તો સુખ-શાંતિને શોધવાં નહિ જવાં પડે. તે આપણને શોધતાં આપણી પાસે આવી જશે. જીવનનો આવો સાચો અભિગમ સત્પુરુષોના સહવાસથી પ્રાપ્ત થાય છે.


કોઈ ઓરડો હજારો વર્ષથી અંધારિયો હોય તેને પ્રકાશથી ભરવા માટે તેમાં હજારો વર્ષ પ્રકાશ નથી કરવો પડતો. એ ઓરડામાં માત્ર એક દીપકને પ્રગટાવો. દીપકની જ્યોત ઝળહળશે અને તે જ ક્ષણે હજારો વર્ષનો અંધકાર અદૃશ્ય થઈ જશે. જીવના હૃદયમાં અનાદિકાળથી અજ્ઞાનનું ગાઢ અંધારું ભરાયેલું છે. સત્પુરુષના સહવાસથી તે અંધકાર ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે કારણકે સંત આપણા હૃદયમાં જ્ઞાનનો દીપ પ્રગટાવે છે.


ઘણીવાર જે કાર્ય કલાકો સુધી પ્રવચનો સાંભળવાથી નથી થતું તે કાર્ય બે શબ્દો સાંભળવાથી થઈ જાય છે. જે કામ અનેક પુસ્તકો વાંચવાથી નથી થતું તે કામ બે વાક્યો વાંચવાથી થઈ જાય છે; પરંતુ તે બે શબ્દો અને બે વાક્યો સાચા સત્પુરુષના જીવનમાંથી નીકળેલાં હોવાં જોઈએ. તેવા બે જ શબ્દો સંસારના તાપોથી તપ્ત થયેલ મનુષ્યને શીતળ અને શાંત બનાવી દે છે.


આવા અણમૂલાં વાક્યોનો ભંડાર છે, ‘જીવન જ્યોત’નાં આલેખનો. જીવન જ્યોતની પંક્તિઓ વાચકના હૃદયના સ્થંભિત તારોને ઝણઝણાવે છે. સાદી, સરળ છતાં ચોટદાર ભાષાશૈલીમાં લખાયેલા આ લેખોના વાચનથી લૌકિક જીવનની અનેક વિટંબણાઓનું સમાધાન મળી જાય છે કારણ કે એ લેખોમાં સદ્‌ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સંત જીવનના અનુભવોની વીણા ગૂંજી રહી છે.


ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને અમેરિકા સુધી વિસ્તેરલી સંસ્થાની શાખાઓ દ્વારા થતાં જનહિતનાં સેવાકાર્યોની વણથંભી શૃંખલાઓના વ્યસ્ત કાર્યક્રમો તથા ગામડે-ગામડે અને અનેક શહેરોમાં અવિરત સત્સંગ વિચરણના કાર્યક્રમો વચ્ચે પણ પૂજ્ય સ્વામીજીની કલમ ‘સદ્‌વિદ્યા’ અને અન્ય માસિકો દ્વારા સતત વહેતી રહી છે.


જીવનઘડતર, સમાજનિર્માણ, સામાજિક સમસ્યા નિર્મૂલન અને મોક્ષમૂલક વાતોના આ લેખોને ક્રમશઃ ‘સંત સમાગમ’, ‘સત્સંગ સુધા’, ‘સંતકી સોબત’, ‘જીવન પાથેય’, ‘જીવન સુમન’ અને ‘જીવન જીવવાની કળા’ એમ છ પુસ્તકોમાં સંકલિત કરી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ દ્વારા જનસમાજ સુધી પહોંચાડવામાં આવ્યા છે.


‘સદ્‌‌વિદ્યા સદ્ધર્મ રક્ષક’ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને અખંડ ભગવત્‌પરાયણ પૂજ્યપાદ્‌શ્રી જોગી સ્વામીના શુભાશીર્વાદ સહ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ વિદ્યાલયના સુવર્ણ જંયતી પ્રસંગે યોજાયેલ ‘જનમંગલ મહોત્સવ’માં, ગુજરાત રાજ્યના સ્વર્ણિમ્‌વર્ષે પ્રારંભાયેલ ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત સદ્‌ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના જીવન અનુભવોના આ વિચાર વૈભવના સારને સંકલિત કરી આ ‘જીવન જ્યોત’ પુસ્તક દ્વારા સામાન્ય જનસમાજમાં તરતો મૂકવાનો ગુરુકુલ રાજકોટ દ્વારા નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.


આ ‘જીવન જ્યોત’ પુસ્તકનું સંપાદન કરવામાં દૈહિક, માનસિક તથા આર્થિક રીતે સેવા સહયોગ આપનાર સર્વ ઉપર ભગવાન શ્રીહરિ તથા સંતોની પ્રસન્નતા ઉતરે એવી શુભ કામના.

ମୂଲ୍ୟାଙ୍କନ ଓ ସମୀକ୍ଷା

3.0
2ଟି ସମୀକ୍ଷା

ଏହି ଇବୁକ୍‍କୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ

ଆପଣ କଣ ଭାବୁଛନ୍ତି ତାହା ଆମକୁ ଜଣାନ୍ତୁ।

ପଢ଼ିବା ପାଇଁ ତଥ୍ୟ

ସ୍ମାର୍ଟଫୋନ ଓ ଟାବଲେଟ
Google Play Books ଆପ୍କୁ, AndroidiPad/iPhone ପାଇଁ ଇନଷ୍ଟଲ୍ କରନ୍ତୁ। ଏହା ସ୍ଵଚାଳିତ ଭାବେ ଆପଣଙ୍କ ଆକାଉଣ୍ଟରେ ସିଙ୍କ ହୋ‍ଇଯିବ ଏବଂ ଆପଣ ଯେଉଁଠି ଥାଆନ୍ତୁ ନା କାହିଁକି ଆନଲାଇନ୍ କିମ୍ବା ଅଫଲାଇନ୍‍ରେ ପଢ଼ିବା ପାଇଁ ଅନୁମତି ଦେବ।
ଲାପଟପ ଓ କମ୍ପ୍ୟୁଟର
ନିଜର କମ୍ପ୍ୟୁଟର୍‍ରେ ଥିବା ୱେବ୍ ବ୍ରାଉଜର୍‍କୁ ବ୍ୟବହାର କରି Google Playରୁ କିଣିଥିବା ଅଡିଓବୁକ୍‍କୁ ଆପଣ ଶୁଣିପାରିବେ।
ଇ-ରିଡର୍ ଓ ଅନ୍ୟ ଡିଭାଇସ୍‍ଗୁଡ଼ିକ
Kobo eReaders ପରି e-ink ଡିଭାଇସଗୁଡ଼ିକରେ ପଢ଼ିବା ପାଇଁ, ଆପଣଙ୍କୁ ଏକ ଫାଇଲ ଡାଉନଲୋଡ କରି ଏହାକୁ ଆପଣଙ୍କ ଡିଭାଇସକୁ ଟ୍ରାନ୍ସଫର କରିବାକୁ ହେବ। ସମର୍ଥିତ eReadersକୁ ଫାଇଲଗୁଡ଼ିକ ଟ୍ରାନ୍ସଫର କରିବା ପାଇଁ ସହାୟତା କେନ୍ଦ୍ରରେ ଥିବା ସବିଶେଷ ନିର୍ଦ୍ଦେଶାବଳୀକୁ ଅନୁସରଣ କରନ୍ତୁ।