SATSANG PATHEY (સત્સંગ પાથેય)

· DEVVALLABH SWAMI +91 7284962128
4.6
5 reviews
Ebook
97
Pages
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

 કોઇ દૂરની જગ્યાએ પ્રવાસમાં જવાનુ હોય તો રસ્તામાં પાથેય (નાસ્તા)ની જરુર પડે છે. જીવન પણ એક યાત્રા છે. જીવ અનાદિકાળથી અનંતની યાત્રાએ નીકળ્યો છે. જ્યાં સુધી તે પોતાના સ્વરુપને ઓળખે નહીં અને પરમાત્માનો આશ્રય કરે નહીં,ત્યાં સુધી તેની યાત્રા અવિરત ચાલવાની.

 જીવની યાત્રાનુ પાથેય છે સદ્ વિચારો. સદ્ વિચારોરુપી પાથેય વિના આપણે આલોક અને પરલોક સંબંધી આપણાં હિતની વાત સમજી શકતા નથી.

  જ્ઞાન એટલે પ્રકાશ. તે આત્માનો અપૃથક્કસિદ્ધ ગુણધર્મ છે. સત્સંગ દ્વારા તેને પોષણ મળે છે. સત્સંગરુપી પાથેય આપણને હરપળ, હરઘડી, સાથ, સહકાર અને સાંત્વના આપે છે. જીવનમાં સતત પ્રેરણાં અને પ્રોત્સાહન પુરા પાડે છે. આ સત્સંગરુપી પાથેય એ બીજુકાંઇ નહીં,પણ આપણાં સંતો, મહાપુરુષોએ આપેલો સમૃદ્ધ વિચાર વારસો છે. તે આપણાં જીવનનો પથદર્શક બની રહે છે. સદ્વિચારોથી આપણી ઉન્નતિ અને અસદ્વિચારોથી અવનતી થાય છે.

 જેની પાસે ધન સંપત્તિરુપી મૂડી હોય તેને આપણે શ્રીમંત કહીએ છીએ. પરંતુ સાચો શ્રીમંત તો એ છે કે જેની પાસે સમૃદ્ધ વિચાર વારસો છે. કારણકે ધન વાપરવાથી ઘટે છે. જ્યારે જ્ઞાન વાપરવાથી વધે છે.

 જે આપણી ચર્મચક્ષુ વડે જોઇ શકાતુ નથી. તે જ્ઞાનચક્ષુ વડે જોઇ શકાય છે.શરીરનો નાશ થાય છે પરંતુ વિચારો (જ્ઞાન) નો કદી નાશ થતો નથી.

 જેવું લાગ્યુ તેવું લખ્યુ છે. તેમાંથી હસન્તિ દુર્જના યત્ર સમાદધતિ સાધવઃ એ ન્યાયે સારુ લાગે તે સ્વીકારજો.

 આપનુ જીવન સદ્ વિચારોથી સમૃદ્ધ બને તેવી પરમકૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં અભ્યર્થના.

       લેખન પ્રકાશનમાં મદદરુપ થનાર નામી અનામી સૌ કોઇનો આભાર. શ્રીજી મહારાજ સૌનુ મંગળ કરે એજ શ્રીચરણોમાં શુભકામના..



લી. શાસ્ત્રી દેવવલ્લભદાસના જય સ્વામિનારાયણ

Ratings and reviews

4.6
5 reviews

About the author

જય શ્રી સ્વામિનારાયણ

      સોરઠ ની ધીંગીધરા સતી, શૂરા અને સંતની ખાણ છે. સદ્. શ્રી ગુણાતીતાનંદસ્વામીની શિષ્ય પરંપરા માં સદ્. શ્રી બાલમુકુન્દદાસજીસ્વામી,સદ્. શ્રી નારાયણદાસજીસ્વામી,સદ્. શ્રી માધવદાસજી સ્વામી અને તેમના શિષ્ય સદ્. શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના અનન્ય સેવક એટલે વિદ્વત્વર્ય શાસ્ત્રી શ્રી દેવવલ્લભદાસજી સ્વામી – ગુરુકુળખાંભા. પૂજ્ય સ્વામીશ્રી નો જન્મ તા.૧-૬-૧૯૬૨ ના સૌરાષ્ટ્રના મોટા આંકડીયા ગામે થયો હતો. બાળપણથી જ સત્સંગ નો વારસો સ્વામીશ્રી ને મળ્યો હતો. પૂજ્ય સ્વામીશ્રીએગુજરાત યુનિવર્સીટીથીબી.એ. અંગ્રેજી માધ્યમ થી કર્યું હતું. ત્યારબાદ એમ.એ. ફિલોસોફી થી કર્યું. ત્યારબાદ પુનઃ એમ.એ. સંસ્કૃત માધ્યમ થી કર્યું. તેમજ બી.એડ. પણ સંસ્કૃત થી કર્યું. “ભારતીય ઈશ્વરવાદ” વિષય પર મહાનિબંધ લખીને વર્ષ ૧૯૯૧ માં ગુજરાત યુનિવર્સિટી થી પી.એચ.ડી. કરીને સ્વામિનારાયણ સંપ્રદાય નું ગૌરવ વધાર્યું. સાથો સાથ ભારતીય વિદ્યાભવન મુંબઈ થી રામાનુજવેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરી. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસીથી દર્શનાચાર્યની પદવી પ્રાપ્ત કરી. ‘વિદ્યા અભ્યાસ કરીને સાધુ દિક્ષા લેવી’ એ ગુરુ વચન પ્રમાણે વિદ્યા અભ્યાસ પૂર્ણ કરીને વડતાલમાં સને ૧૯૯૨માં કાર્તિકીસમૈયામાં આચાર્ય મહારાજશ્રી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને દેવવલ્લભદાસજી નામ રાખ્યું.

       પૂ. સ્વામીશ્રીએશ્રી સહજાનંદ ગુરુકુળખાંભા ને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. મંડળ ના વડીલ સંતો સાથે સત્સંગ વિચરણ કરીને સત્સંગ ની સેવામાં જોડાયા. બાબરિયાવાડના ગામડાઓમાં અધિકમાસ, શ્રાવણમાસ, ચૈત્રમાસમાં શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્સત્સંગિજીવન જેવા ગ્રંથોની કથાપારાયણો કરીને સત્સંગનું પોષણ કર્યું. ખાંભાગુરુકુળ દ્વારા પ્રકાશિત માસિક પત્રિકા ‘શ્રી સ્વામિનારાયણ દર્શન’ ના તંત્રી પદે રહી ૧૧ વર્ષ સુધી અવિરત સેવા કરી. પૂ. સ્વામીશ્રીએ ૧૨ જેટલા મૂળ ગ્રંથોનું સંપાદન તેમજ પ્રકાશન કરીને સાહિત્ય ક્ષેત્રે નોંધ પાત્ર સેવા કરી છે. આધ્યાત્મિક, શૈક્ષણિક, ભાષાકીય તેમજ સ્વાસ્થ્યને લગતા ૫૪ જેટલા પુસ્તકોનું સુંદર આલેખન, સંપાદન એવં પ્રકાશન કરીને સમાજને મૂલ્યવાન ભેટ આપી છે. આપની વૈદૂષ્યપ્રતિભાથી સત્સંગ સમાજ ખુબજ લાભાન્વિત થયો છે. 

       છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત “શ્રી સ્વામિનારાયણગુરુકુળ સંઘ” ના મંત્રી પદે રહી આપે નોંધ પત્ર સેવા આપી છે. “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એક પરિચય” અને “ગુરુકુળ દર્શન” જેવા દળદાર સોવેનિયરનું પ્રકાશન કરીને આપે ગુરુકુળ સંઘનું ગૌરવ વધાર્યું છે. જપ, ધ્યાન અને ભજન એ આધ્યાત્મ માર્ગની શોભા છે, જે આપના જીવનનું નિયમિત અંગ બની ગયું છે. ભજન, લેખન અને શિક્ષણ એ આપના રસપ્રદ વિષયો હોય માત્ર ૫૬ વર્ષની વયે આ ક્ષેત્રે વિરાટ કર્યો કરીને ભાવિ નવયુવાનો ને એક અનોખુ પ્રેરણા બળ પૂરું પડ્યું છે. આપના દ્વારા સત્સંગ તેમજ સાહિત્ય ક્ષેત્ર સત્કાર્યો રૂપ વિશેષ સેવા થતી રહે એજ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પવન ચરણો માં પ્રાર્થના.



-શ્રી સહજાનંદ ગુરુકુળખાંભા પરિવાર 


Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.