Bal Saurabh Book: Swaminarayan Varta Book

4.0
2 समीक्षाएं
ई-बुक
136
पेज
रेटिंग और समीक्षाओं की पुष्टि नहीं हुई है  ज़्यादा जानें

इस ई-बुक के बारे में जानकारी

રસ્તાના કાંઠે ઘડાયા વગરનો પથ્થર જોયો છે ? તેની કિંમત કેટલી ? કાંઇ નહી. પણ તે જ પથ્થરને કોઇ કુશળ કારીગર મળી જાય અને તેમાંથી સુંદૃર મજાની મૂર્તિ બનાવી દે તો.....? તો તેની કિંમત કેટલી ? હજારો લોકોના દૃયમાં ભગવાન તરીકે વિરાજમાન થઇ જાય છે.


ધૂળની કિંમત કેટલી ? બહુ જ નહી જેવી. પણ તે જ ધૂળમાંથી કુંભાર માટલું, શકોરું કે કુંજો બનાવે છે ત્યારે.....? ત્યારે તેની કિંમત અનેકગણી વધી જાય છે.


લાકડાનો ટુકડો પડયો પડયો સડી જ જવાનો હોય છે. પણ એમાંથી જો કુશળ સુતાર સુંદૃર મજાનું ફર્નિચર બનાવે તો મકાનને રાજમહેલ બનાવી દે છે.


બસ આપણા જીવનમાં પણ આવું જ કાંઇક બને છે. આપણે નાના હોઇએ ત્યારે શું કરવું ? શું ન કરવું ? તેની કાંઇ ખબર હોતી નથી. આપણા માબાપ, આપણા સંતો અને આપણા સંચાલકો વાર્તાઓ દ્વારા ઉપદેશ આપીને આપણું ઘડતર કરે છે. એ ઘડતર એટલે સંસ્કારોનું સિંચન, સારા વિચારોનું સિંચન. સંસ્કાર વગરના માનવીની આ દુનિયામાં જોઇએ તેવી કોઇ કિંમત થતી નથી.


આપણામાં આવા શુભ સંસ્કારોનું સિંચન થાય તે માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આ બાલસૌરભ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. જેમ ભોજન જમતાં હોય તેમાં દૃરેક રસના અલગ અલગ પકવાન પીરસાયા હોય તો જમવાની બહુ મજા પડે તેમ ગુરુકુલ દ્વારા ચાલતા બાળમંડળોમાં બાળકોને મજા પડે એવી વાર્તાઓ, શ્રીજી મહારાજના ચરિત્રો, સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ આપેલ ઉપદેશ અને અંતે સ્વાધ્યાય વગેરે વિવિધ પાંખડીઓનું બનાવેલું દરેક પુષ્પ દરેક બાળકોને જરૂર ગમશે.


રાજકોટ ગુરુકુલ પરિવારના ગુરુપદે વિરાજમાન પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ સહ સુરત ગુરુકુલના સંચાલક પ.પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર આ પુસ્તિકા તૈયાર કરવામાં શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, શ્રી કીર્તનપ્રિયદાસજી સ્વામી તથા શ્રી વિશ્ર્વવંદનદાસજી સ્વામી વગેરે સત્સંગ મંડળના સંચાલક સંતોએ ખૂબ મહેનત કરી છે. આ પુસ્તકનું પ્રુફરિડિંગ તેમજ સંકલન કરવામાં શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામીએ સારી જહેમત ઉઠાવી છે તેમજ ટાઇપ સેટીંગ ભાવિક પરમાર તથા ડિઝાઇન સાધુ વિશ્ર્વસ્વરૂપદાસજી સ્વામી તથા ચિરાગભાઇ સુતરિયાએ તૈયાર કરેલ છે.


આ પુસ્તિકાનું દરેક પુષ્પ આપના જીવનમાં સંસ્કારોની મહેંક પ્રસરાવે, ભગવાનની ભક્તિના મધુરરસનું પાન કરાવે એ જ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સહ જય શ્રી સ્વામિનારાયણ...


रेटिंग और समीक्षाएं

4.0
2 समीक्षाएं

इस ई-बुक को रेटिंग दें

हमें अपनी राय बताएं.

पठन जानकारी

स्मार्टफ़ोन और टैबलेट
Android और iPad/iPhone के लिए Google Play किताबें ऐप्लिकेशन इंस्टॉल करें. यह आपके खाते के साथ अपने आप सिंक हो जाता है और आपको कहीं भी ऑनलाइन या ऑफ़लाइन पढ़ने की सुविधा देता है.
लैपटॉप और कंप्यूटर
आप अपने कंप्यूटर के वेब ब्राउज़र का उपयोग करके Google Play पर खरीदी गई ऑडियो किताबें सुन सकते हैं.
eReaders और अन्य डिवाइस
Kobo ई-रीडर जैसी ई-इंक डिवाइसों पर कुछ पढ़ने के लिए, आपको फ़ाइल डाउनलोड करके उसे अपने डिवाइस पर ट्रांसफ़र करना होगा. ई-रीडर पर काम करने वाली फ़ाइलों को ई-रीडर पर ट्रांसफ़र करने के लिए, सहायता केंद्र के निर्देशों का पालन करें.